માલદીવે ભારત માટે કહી મોટી વાત: ભારતના પ્લેન તો છે અમારી પાસે પરંતુ અમારા પાયલોટને ઉડાવતા જ નથી આવડતું
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan13052024_070443_Maldiv.webp)
- 13 May, 2024
ભારતીય સૈનિકો પરત ફર્યાના થોડા દિવસો પછી માલદીવે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેના સૈનિકોની પાસે ભારતે આપેલા ત્રણ વિમાનોનું સંચાલન કરવાની ક્ષમતા નથી. ઉલ્લેખનીય છે કે રવિવારે સ્થાનિક મીડિયાને માલદિવના રક્ષા મંત્રી ઘાસન મૌમૂને આ અંગેની વાત કહી હતી. મૌમૂનનું કહેવું છે કે માલદીવના સૈનિકોએ વિમાન ચલાવવાની ટ્રેનિંગ શરૂ કરી હતી પરંતુ તેઓ તેને પુરી કરી શક્યા નહોતા. હવે સ્થિતિ એવી છે કે તેમનો એક પણ સૈનિક ભારતે આપેલા વિમાનને ચલાવી શકતો નથી.
એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનનાં જવાબમાં ઘાસને કહ્યું કે, માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ પાસે માલદીવનાં કોઈ સૈનિકો નથી. જે ભારતીય સેના દ્વારા દાનમાં આપવામાં આવેલા ત્રણ એરક્રાફ્ટનું સંચાલન કરી શકે. તેમજ અગાઉની સરકારો દ્વારા કરાયેલા કરાર હેઠળ કેટલાક સૈનિકોને ફ્લાઈંગ ટ્રેનિગ આપવામાં આવી હતી.
ઘાસને કહ્યું કે વિમાન ઉડાવવાની તાલીમ વિવિધ તબક્કામાં લેવાની હતી. પરંતુ આ તાલીમ પૂર્ણ થઈ નથી. હાલમાં અમારા દળમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જે બે હેલિકોપ્ટર અને ડોર્નિયરને ઉડાડવા માટેનું લાઇસન્સ ધરાવતું હોય અથવા તેને ઉડાડવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ હોય.
ચીન તરફી નેતા મુઇઝુએ 10 મે સુધીમાં ટાપુ રાષ્ટ્રમાં ત્રણ વિમાનનાં પ્લેટફોર્મનું સંચાલન કરતા તમામ ભારતીય સૈન્ય કર્મચારીઓને પરત બોલાવી લેવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો ગંભીર તણાવમાં આવ્યા હતા. ભારતે પહેલેથી જ 76 સૈન્ય કર્મચારીઓને પરત બોલાવી લીધા છે. માલદીવનાં મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જ માલદીવ સરકાર સેનહિયા સૈન્ય હોસ્પિટલમાં ભારતનાં ર્ડાક્ટરોને હટાવવાનો કોઈ ઈરાદો નથી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ